Psalms 14

1મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.”
તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે;
તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.

2કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ

તે જોવાને યહોવાહે આકાશમાંથી
મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
3દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે;
સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

4શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી?

તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે,
પણ યહોવાહને વિનંતિ કરતા નથી.

5તેઓ બહુ ભયભીત થયા,

કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
6તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો
પણ યહોવાહ તો તેનો આશ્રય છે.

સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું!

જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે,
ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
7

Copyright information for GujULB